મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ કેન્ડલ માર્ચ યોજી દિવંગતોને શ્રદ્ધાંજલી આપશે

- text


મોરબી : રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓને આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા.27/5/2024ના રોજ સાંજે 7:00 કલાકે નગર દરવાજાના ચોકથી જુલતા પુલ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન તમામ સભ્યોને સફેદ વસ્ત્રો પહેરી મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંજે 6:00 કલાકે અચૂક હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

- text