રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે નિષ્પક્ષ તપાસ કરવા રાહુલ ગાંધીની માંગ  

- text


રાજકોટ : રાજકોટ શહેરમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 25 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે ત્યારે આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે, આ સમાચાર ખૂબ જ પીડાદાયક છે. દરેક શોકાતુર પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી આશા રાખું છું. સાથે જ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે તેઓ રાહત અને બચાવ કાર્યમાં તંત્રની બનતી મદદ કરે અને ગુજરાત સરકાર અને તંત્રને જણાવ્યું છે કે, તેઓ આ ઘટનાની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરી તમામ પરિવારોને ઝડપથી ન્યાય અપાવે.

- text

- text