- text
- text
મોરબી : મોરબીના પત્રકારે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. પત્રકાર મેહુલભાઈ ગઢવીએ પોતાના જન્મદિવસ નિમિત્તે 100 જેટલા વૃક્ષનું વાવેતર કરી વસુંધરા અને હરિયાળી બનાવવાના પ્રયાસ સાથે જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સ્નેહીજનો, મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
- text