ક્ષત્રિય અસ્મિતા પગપાળા યાત્રાનું શકત શનાળા મુકામે ભવ્ય સ્વાગત

- text


મોરબી : રાજકોટથી પ્રસ્થાન થયેલી ‘ક્ષત્રિય અસ્મિતા પગપાળા યાત્રા ‘ આજે મોરબીના શકત સનાળા મુકામે પહોંચી હતી. આ પગપાળા યાત્રા આશાપુરા મંદિર માતાના મઢ સુધી ચાલશે.

- text

આ અંગે પદયાત્રીઓ એ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનું આંદોલન શાંતિ પૂર્ણ ચાલ્યું છે તેમાં સદાય માતાજીનો સાથ રહ્યો છે. હવે આંદોલનની પુર્ણાહુતી થઇ રહી છે ત્યારે રાજકોટથી શરૂ કરીને માતાના મઢ સુધી પદયાત્રા કરીને જે દિવસે આશાપુરા મંદિરે પહોંચશે ત્યારે ગુજરાતના તમામ શક્તિપીઠ પર મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી થી મોટી સંખ્યામા લોકો આ પદયાત્રામાં જોડાયા છે અને સાંજના સમયે આ પદયાત્રા શનાળાથી નીકળી પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી હતી.

- text