- text
મોરબી : મોરબીના વાવડી રોડ પર મહાદેવ મંદિર પાસે આવેલા જનકનગરમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે કારના આગળ પાછળના કાચ તોડી નાખતા કાર માલિકે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
- text
મોરબીના જનકનગરમાં રહેતા કાર માલિક જગદીશભાઈ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે તારીખ 22 મેના રોજ તેઓ ઈંટના ભઠ્ઠાથી આવીને તેમની GJ-10-BR-5761 નંબરની અર્ટીકા કાર ઘરની સામે આડી શેરીમાં પાર્ક કરી હતી. ત્યારે રાત્રિના 11 થી સવારના 4 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ કારના આગળના અને પાછળના કાચ તોડ્યા હતા. જેથી આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે.
- text