Morbi: સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ' માનવ સેવા એજ પ્રભુ સેવા'એ સૂત્ર ને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાન થી વિસ્થાપિત થયેલ બાંધવો ને ભારતીય નાગરિકતા મળે એ હેતુ થી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન આજે ગુરુવારે સાંજે 5:00 વાગ્યે જૂના શિશું મંદિર,મનાલી હોટલ વાળી શેરી,નવા બસ સ્ટેશન સામે,મોરબી ખાતે થયેલો છે.આ કાર્યક્રમમાં ઉદબોધન ડો. જન્તીભાઈ ભાડેસિયા ( પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક – આર.એસ.એસ),પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય - રાપર) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પ્રેમ સ્વામિ (સંસ્કાર ધામ - મોરબી) દ્વારા આશિર્વચન પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે મોહનભાઈ કુંડારિયા (સંસદ સભ્ય - રાજકોટ), વિનોદભાઈ ચાવડા (સંસદ સભ્ય, કચ્છ- મોરબી), જયંતીભાઈ કવાડિયા (ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ), કેશરીદેવસિંહ ઝાલા (સંસદ સભ્ય- રાજ્યસભા), કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય મોરબી માળિયા), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્યશ્રી ટંકારા-પડધરી), જીતુભાઈ સોમાણી (ધારાસભ્ય,વાંકાનેર), પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય- હળવદ ધ્રાંગધ્રા), રણછોડભાઈ દલવાડી (જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી), મુકેશભાઈ કુંડારીયા (પ્રમુખ, વિટ્રીફાઈડ ટાઇલ્સ મેન્યુ. એસો -મોરબી), હરેશભાઈ બોપલિયા (પ્રમુખશ્રી વોલ ટાઇલ્સ મેન્યુ. એસો.- મોરબી), વિનોદભાઈ ભાડજા (પ્રમુખશ્રી ફ્લોર ટાઈલ્સ મેન્યુ.એસો - મોરબી),કિરીટભાઈ ઓગણજા (પ્રમુખશ્રી સેનેટરીવેર્સ મેન્યુ એસો.- મોરબી), વિપુલભાઈ કોરડિયા (પ્રમુખ શ્રી પેપરમિલ એસો.મોરબી), જગદીશભાઈ પનારા (પ્રમુખ શ્રી પોલીપેક એસો.મોરબી), શશાંકભાઈ દંગી (પ્રમુખ ક્લોક એસો.મોરબી) ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ અંતર્ગત વિસ્થાપિત હિન્દુ સહાયતા સમિતિ ની રચના કરવામાં આવેલી છે.આ સમિતિના સંયોજક હિરેનભાઈ વિડજા તેમજ સચિવ જે. પી. જેસવાણી અને સહ સચિવ ચંદનસિંહ સોઢા રહેશે.