મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસીની ગાડીને અકસ્માત નડયા બાદ વીમા કંપનીમા ક્લેઇમ કરતા વીમા કંપનીએ ડ્રાઇવરને ઇજા પહોંચી ન હોવાથી વીમો ન મળે તેમ કહી ક્લેઇમ નકારી કાઢતા આ મામલો ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ પહોંચતા અદાલતે વીમા કંપનીને ફટકાર લગાવી દાવો મંજુર કર્યો હતો.આ કેસનો વિગત જોઈએ તો, મોરબી તાલુકાના ખાનપર ગામના રહીશ ગીરીરાજસિંહ દાદુભા જાડેજાએ રીલાયન્સ ઇન્સ્યોરન્સ પ્રા.લીમીટેડમા પોતાની ગાડીનો વીમો ઉતરાવેલ તેમનુ વાહન સરતાનપર રોડ ઉપર ડ્રાઇવર લઇને જતો હતો અને આગળ ઓચીંતુ વાહન આવી જતા એકાએક બ્રેક મારવી પડી હતી જેથી વાહન ફરીયાદીના વાહન સાથે અથડાતા નુકશાન થયેલ હતું. બીજી બાજુ વીમા કંપનીએ ડ્રાઇવરને કંઈ ઈજા નથી થઈ જેથી વીમો ન મળે એવા બહાના હેઠળ વીમો નામંજુર કરેલ હતો.ગીરીરાજસિંહ જાડેજાએ આ બાબતની ફરીયાદ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને કરતા તેઓએ મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમિશનમા ફરીયાદ દાખલ કરેલ જેથી અદાલતે વીમા કંપનીની તમામ વાતો નકારી ગ્રાહક ગીરીરાજસિંહને રૂપિયા 1,62,917 ચુકવવાનો આદેશ તા. 5/4/21 થી 7ટકા વ્યાજ સાથે કરેલ હતો અને વળતર પેટનો ચેક મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ ગ્રાહકને અર્પણ કર્યો હતો.