જુદી જુદી શાળાઓના બાળવાટીકાથી ધો.7 સુધીના 1000 એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યામોરબી :મોરબીની શાળાઓમાં લિયો ક્લબ દ્વારા સુવર્ણપ્રાશન ટીપા આપવાના આયોજન ભાગરૂપે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા,માણેકવાડા શાળા,મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળાના 1000 એક હજાર જેટલા વિદ્યાર્થીઓને પુષ્ય નક્ષત્રમાં એટલે કે આજ રોજ નિઃશુલ્ક ટીપા પીવડાવવામાં આવ્યા હતા.શિક્ષક મિત્રો પોતાની શાળામાં કે ગામમાં બાળકોને આ નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ઘણા બધા ફાયદા છે જેમ કે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. પાચનતંત્ર મા સુધારો કરે છે યાદશક્તિ માં વધારો કરે છે. ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે. તાવ, શરદી,ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. વાન ઉજળો કરે, તેજસ્વી તથા ચપળ બનાવે, આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. આ ટીપાં પીવડાવવામાં ક્રિષ્નાબેન રૂપાલા અને સંદીપભાઈ લોરીયા મોરબી તાલુકા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી હતી.