ટંકારામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિજયા દશમીની ઉજવણી

- text


શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા કાઢવામાં આવી

ટંકારા : વિજયાદશમીના પાવન દિવસે રાજપૂત ક્ષત્રિય સમાજ- ટંકારા, રાજપૂત કરણી સેના – ટંકારા, અખિલ ગુજરાત યુવા સંઘ- યુવા પાંખ – ટંકારા દ્વારા શસ્ત્ર પૂજન અને શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રા દરમ્યાન અલગ અલગ પક્ષો, સમાજો, સંગઠનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરાઈ હતી તેમજ પુષ્પહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન બદલ રાજપૂત ક્ષત્રિય સમાજ પરિવારે ભાજપ સંગઠન, કોંગ્રેસ સંગઠન, આર્ય સમાજ પરિવાર, બ્રહ્મ સમાજ, ચારણ સમાજ, દલિત સમાજ અને દરેક વેપારી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડી.ડી.ઓ. દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. તેમજ પી.એસ.આઈ. ધાંધલ અને પોલીસ સ્ટાફનો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શોભાયાત્રા દરમ્યાન અનિચ્છનીય ઘટના ના બને એની પૂરી તકેદારી રાખવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો. મીડિયાના મિત્રોનો પણ પ્રમુખ ઝાલા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ અને રાજપૂત ક્ષત્રિય સમાજ પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.

- text

- text