એમબીએ સેમેસ્ટર-2 માં મોરબીની નવયુગ કોલેજનું શ્રેષ્ઠ પરિણામ 

- text


મોરબી : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં એમબીએ સેમેસ્ટર-2 ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીની નવયુગ કોલેજે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ છે.

એમબીએ સેમેસ્ટર – 2ના પરિણામમાં 9.74 એસપીઆઈ સાથે સેજપાલ દર્શિતે યુનિવર્સિટીમાં દ્વિતિય ક્રમાંક અને કોલેજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ 9.29 એસપીઆઈ સાથે ફુલતરીયા વૈદેહીએ કોલેજમાં દ્વિતિય ક્રમાંકે અને 9.14 એસપીઆઈ સાથે કોટેચા જ્હાન્વી તૃતિય ક્રમાંકે ઉત્તિર્ણ થયાં છે. એમબીએ સેમેસ્ટર-2માં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના પ્રતિષ્ઠીત સંસ્થા નવયુગ કોલેજમાં વર્ષ 2022-23થી જ એમબીએના કોર્ષનો પ્રારંભ થયો છે. અને પ્રથમ વર્ષથી જ ઉત્કૃષ્ટ પરિણામની શરૂઆત થઈ છે.

- text

- text