આર્યનગર ગામે હરિઓમ નવરાત્રી મહોત્સવમાં લાણી વિતરણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના આર્યનગર ગામમાં છેલ્લા 14 વર્ષથી હરિઓમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રાચીન ગરબી રમી નાની બાળાઓ, બહેનો તેમજ ભાઈઓ માતાજીની આરાધના કરે છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 42 બાળાઓને લાણી વિતરણ કરવામાં આવી હતી તેમજ તમામ બાળાઓને નાસ્તો તેમજ પ્રસાદ કરાવવામાં આવ્યો હતો. આ હરીઓમ નવરાત્રી મહોત્સવનું આયોજન નાનજીભાઈ મેરજા તેમજ ધીરૂભાઈ કાસુન્દ્રા દ્વારા કરવામાં આવે છે.

- text

- text