મોરબીના તમામ હિન્દૂ સંગઠનો સંકલ્પ નવરાત્રી સાથે જ છે : આગેવાનોએ વાયરલ થતા ખોટા મેસેજનું ખંડન કર્યું

કમલેશભાઈ બોરીચા સહિતના આગેવાનોએ વાયરલ થતા ખોટા મેસેજનું ખંડન કર્યું

મોરબી : મોરબીમાં સર્વ સમાજની બહેનો માટે નિઃશુલ્ક રાસ ગરબાનું આયોજન કરનાર સંકલ્પ નવરાત્રી મહોત્સવને લઈ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા ખોટા મેસેજ વાયરલ કરી હિન્દૂ સમાજમાં ભાગલા પાડવા હીન પ્રયાસ કરવામાં આવતા આજે મોરબીના તમામ હિન્દૂ સંગઠનોએ સંકલ્પ નવરાત્રીની સાથે જ હોવાનો સંદેશ આપ્યો છે.. તેમજ સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજક દેવન રબારીએ જણાવ્યું હતું કે અમેં નવરાત્રી મહોત્સવમાં સનાતન અને ભારતીય સંસ્કૃતિનું પૂરેપૂરું જતન કરવાની તેમજ આ સાથે સંકલ્પમાં આવતા લોકોને તિલક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

છેલ્લા બે દિવસથી કેટલાક વિઘ્ન સંતોષી તત્વો દ્વારા સમગ્ર હિન્દૂ સમાજ માટે ગૌરવરૂપ કામગીરી કરી રહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવને હાનિ પહોંચાડવા ખોટા ઓડિયો અને વીડિયો મેસેજ વાયરલ કરતા આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી, હિન્દૂ સંગઠનના અગ્રણી કમલેશભાઈ બોરીચા તેમજ અન્ય હિન્દૂ સંગઠનના આગેવાનો સાથે ખાસ બેઠક મળી હતી જેમાં તમામ હિન્દૂ સંગઠનો સંકલ્પ નવરાત્રી સાથે હોવાનો સુર વ્યક્ત કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિઘ્ન સંતોષીઓના અફવા ભર્યા ઓડિયો, વિડિયો મેસેજનું ખંડન કરી હિન્દૂ એકતાના દર્શન કરાવ્યા હતા. તેમજ સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજક દેવન રબારીએ જણાવ્યું હતું કે અમેં નવરાત્રી મહોત્સવમાં સનાતન અને ભારતીય સંસ્કૃતિનું પૂરેપૂરું જતન કરવાની ખાત્રી આપી છીએ તેમજ આ સાથે સંકલ્પમાં આવતા લોકોને તિલક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે. તેમજ પુરે પૂરી તકેદારી રાખવામાં આવશે કે કોઈ વિધર્મી નવરાત્રી મહોત્સવમાં અંદર ના આવે. તેમજ દરેક હિંદુ સંગઠનને સાથે રાખી દરેકની લાગણીને માન રાખવામાં આવશે. તેમજ દેવેનભાઇ દરેક હિંદુ સંગઠને સહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.