મોરબી આઈટીઆઈમાં કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો 

- text


મોરબી : મોરબી આઈટીઆઈમાં કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા સંસ્થાના અધ્યાપકગણ અને સંસ્થાનું સંચાલન કરતી IMC કમીટીના સભ્યોના હસ્તે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા તાલિમાર્થીઓને ડીગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ સમારોહમા મોરબી જીલ્લા રોજગાર અધિકારી મનીષાબેન, મોરબી જીલ્લા શ્રમ અધિકારી ડો.કાનાણી, મોરબી શહેર મામલતદાર , IMC કમીટીના વાઇસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, સંસ્થાના પ્રિન્સીપાલ મીનાબેન પટેલ, અધ્યાપક ગણ ઉપસ્થિત રહયા હતા. તેમજ તાલિમાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text