મોરબીઃ હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા આવતીકાલ 8 ઓક્ટોબરના રોજ મોરબીમાં 25 સ્થળે નિઃશુલ્ક સૂવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબીના વિવિધ 25 સ્થળે 8 ઓક્ટોબરને રવિવારના રોજ નિ:શુલ્ક સૂવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે. બાળકો માટે શ્રેષ્ઠ, બુદ્ધિવર્ધક, બળવર્ધક, ભૂખવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ 8 ઓક્ટોબરના રોજ1) સંજીવની ક્લિનિક, રાજોધરજી હાઈસ્કૂલ સામે, બસ સ્ટેન્ડ સામે, હળવદ2) પાર્થ હોસ્પિટલ, સ્ટેશન રોડ સામે, હળવદ3) વેદ આયુષ સ્ટોર, લક્ષ્મી કોમ્પ્લેક્ષ, આઈટીઆઈ રોડ, હળવદ4) વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, 104, પાટીદાર કોમ્પ્લેક્ષ, રવાપર રોડ, મોરબી5) કેશવ હોસ્પિટલ, યોગીન કોમ્પ્લેક્ષ-2, ખોખરા હનુમાન રોડ, મોરબી6) ‘શાંતિ એકેડેમી’ પ્લે હાઉસ, વાઘપરા પાસે, નાલા ઉપર, મોરબી7) શાંતિ આયુર્વેદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, પોટરી તાલુકા શાળા સામે, મોરબી-28) ગુરૂકૃપા હોસ્પિટલ, રામજી મંદિર પાસે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-29) ઓમ આયુર્વેદા, સંકલ્પ પ્લાઝા, કેનાલ રોડ, મોરબી 10) નિરામય ક્લિનિક, જનકપુર, હાઈસ્કૂલ સામે, ઘુંટુ11) આયુકેર ક્લિનિક, ગણેશ નગર, વાવડી રોડ, મોરબી12) મહેશ્વરી હોસ્પિટલ, સવસર પ્લોટ મેઈન રોડ, મોરબી13) સાગરભાઈ વી. મહેતા કુમાર પે સેન્ટર શાળા, જુના દેવળીયા14 ) આયુષ હોસ્પિટલ, ઈસ્કોન ટાઇટલ ઝોન, રફાલેશ્વર15) ધનશ્રી બાળકોની હોસ્પિટલ, શનાળા રોડ, મોરબી16) રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, પંચાસર રોડ, મોરબી17) ભારતી વિદ્યાલય, ઉમા ટાઉનશિપ પાસે, મોરબી18) આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, માતૃકૃપા કોમ્પ્લેક્ષ, શનાળા રોડ, મોરબી19) સુશ્રુત હોસ્પિટલ, રામ ચોક, મોરબી20) રૂમ નં. 6, સદભાવના હોસ્પિટલ, મોરબી21) મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મોરબી22) શ્યામ હોસ્પિટલ, બેલા-રંગપર રોડ, મોરબી23) ઓમ ક્લિનિક, સ્વામિનારાયણ મંદિર પાછળ, મકનસર (ગોકુલનગર)24) શ્રી રામ ક્લિનિક, સરદાર પ્લાઝા-2, સ્ટીવન ક્વાર્ટઝ સામે, લજાઇ હડમતીયા રોડ, લજાઈ ચોકડી25) શ્રી અક્ષર ક્લિનિક, ગોલ્ડન એલીટા માર્કેટ, સાનિધ્ય પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક સૂવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે. મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ 25 કેમ્પનો મહત્તમ લાભ લેવા હિતમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી અને NIMA મોરબીના પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાની દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબીમાં દિવ્યાંગ ખેલાડીઓનો જીલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાશે મોરબી : મોરબી જીલ્લા રમતગમત અધિકારી તરફથી બધીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બધીર (H) દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલમહાકુંભ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે 100-200 મીટર દોડ યોજાશે. આ ખેલમહાકુંભમાં જે બધીર ખેલાડીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે પૂરી માહિતી સાથે પોતાનું ફોર્મ ભરી આધારકાર્ડ, બેંક પાસબુક સાથે અન્ય વિગતો અને ઝેરોક્ષ અધિકારી વ્યક્તિને તા. 31 ઓક્ટોબર મંગળવાર સુધીમાં બધીર ચેરીટેબલ ટ્રસ્ટ, મારૂતી ટેઈલસ ડાકશેરી બજાર લાઈન મોરબી-1 ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે દિવ્યરાજસિંહ તોમર-સંપર્ક 8849586449, મનીષભાઈ કાનાબાર- 9824147346 નો સંપર્ક કરવાનો રહેશે.