ખાખરાળાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સરકારી સંસ્થાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ખાખરાળાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવેના માર્ગદર્શન હેઠળ ખાખરાળાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરાયું હતું. સાથે જ ગ્રામજનોને પણ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી.

- text

આ કાર્યક્રમ અંતર્ગત લોક ઉપયોગી બનાવવા તબીબી અધિકારી સંજય જીવાણી, સુપરવાઈઝર સુરેશ જાવિયા, ફાર્માસીસ્ટ લાલજીભાઈ વિડજા, આરોગ્ય કર્મચારી હિતેષભાઇ,કોમલબેન, દિનેશભાઇ, ધર્મિષ્ઠાબેન સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text