- text
મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામના રેલવે ફાટક નજીક આવેલા વે બ્રિજમાં વજન કાંટો કરાવવા ગયેલા મૂળ બિહારના વતની અને હાલમાં ગાંધીધામ કચ્છ ખાતે રહી ટ્રક ડ્રાઇવિંગ કરતા રાજેશ્વરભાઈ સહાની ઉ.45 નામના યુવાનને ટ્રકનો દરવાજો ખોલવા જતા વીજશોક લગતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text