મોરબી : સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવણી સંદર્ભે મોરબીના મીટીંગ યોજાઈ હતી. જેમાં સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવણી મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મોરબી શહેર-ગ્રામ્ય, વાંકાનેર, ટંકારા, માળીયા તાલુકા સંગઠન સમિતિ મિટીંગ યોજાઈ હતી. જેમાં ઉમિયાધામ સિદસર ખાતે આગામી ભાદરવા સુદ પૂનમ માઁ ઉમિયાજીનો 125માં પ્રાગટ્ય દિવસ તા.29.09.2023 થી તા.01.10.2023 શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરેલ હોય આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે મોરબી શહેર-ગ્રામ્ય વાંકાનેર, ટંકારા માળીયા તાલુકાના કડવા પાટીદાર સંગઠન સમિતિના કાર્યકર્તાઓ, દાતાઓ,સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓના હોદેદારો વગેરેની એક અગત્યની મિટીંગ કડવા પાટીદાર કન્યા છત્રાલય ખાતે યોજાઈ હતી. જેમાં જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી ચેરમેન, ઉપ પ્રમુખ ચીમનભાઈ સાપરિયા ઉપ પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા સંગઠન પ્રમુખ જયેશભાઇ પટેલ મનેજિંગ ટ્રષ્ટિ, રમેશભાઈ રાણીપા સહમંત્રી ઉમિયાધામ સિદસરના તમામ હોદેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.