જુના ઘાટીલા ગામે જન્માષ્ટમીએ શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : આગામી ૭ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીનાં પવિત્ર દિવસે જૂના ઘાટીલા યુવા ગ્રૂપ દ્વારા જૂના ઘાટીલા ગામે ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડનું બેન્ડ વાજા સાથે આયોજન કરવામાં આવ્યું છે.

જૂના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા આયોજીત શોભાયાત્રા બપોરે 2 વાગે નીકળશે અને સાંજે 6 વાગ્યા સુધી આખા ગામમાં ફરશે. આ શોભાયત્રામાં અનેક જગ્યાએ મટકીફોડ કરવામાં આવશે. રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જૂના ઘાટીલા ગામની તમામ ધર્મ પ્રેમી જનતાને જૂના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text