મોરબીમાં 20 લીટરવાળી 1008 મિનરલ વોટરની બોટલથી શિવજીનો જળાભિષેક 

- text


શિવભક્તે નીલકંઠ મહાદેવ મંદિરે અનોખી રીતે માનતા પુરી કરી

મોરબી : શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથને રિઝવવા સૌ શિવભક્તો તેમની ભક્તિમાં લિન થઈ જાય છે. તેવામાં મોરબીમાં એક શિવ ભક્તે 20 લીટરવાળી અધધધ 1008 મિનરલ વોટર બોટલથી શિવજીનો જળાભિષેક કર્યો છે.

મોરબીના શિવભક્ત ભવાની દિનેશભાઈ કાનાબારની પ્રાર્થના ભગવાન ભોળાનાથે સ્વીકારીને ઈચ્છા પરિપૂર્ણ કરી હોય તેઓએ માનતા પુરી કરવા કુંભાર શેરીની સામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે 20 લીટરવાળી મિનરલ વોટરની 1008 બોટલનનું જળ શિવલિંગ ઉપર કાલે રાત્રે અર્પણ કર્યું હતું. આ જળાભિષેક માટે મોટા પ્રમાણમાં બોટલ મનમિત વોટર સપ્લાયરની મદદથી તેઓને મળી હતી.

- text

- text