વાંકાનેરના ITIમાં સફાઈનો અભાવ હોવાની ભાજપ અગ્રણીની CMOમાં ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેર રાજકોટ રોડ પર આવેલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે ઠેર ઠેર કચરાના ઢગલા તેમજ દીવાલો પર પાન ગુટખાની પિચકારીઓ મારી અસહ્ય ગંદકી જામી ગઈ હોવાની શહેર ભાજપ મહામંત્રીએ સીએમઓમાં ફરિયાદ કરી છે.

શહેર ભાજપના મહામંત્રી દીપકભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેઓ કોઈ કારણસર આઇટીઆઇની મુલાકાતે ગયા હતા. ત્યારે જ્યા ત્યાં ગંદકી , કચરાના ઢગલા જામી ગયા હતા તેમજ ક્લાસ રૂમ , દીવાલો તેમજ સીડી પર પાન, ગુટખાની પિચકારીઓ મારેલી હોવાથી ગાંદગીના ગંજ જામી ગયા હોવાથી તેઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રીને ઇ મેઇલ કરી ફોટા સાથે ફરિયાદ કરવામાં આવી છે.

- text

- text