મોરબીમાં તા.21મીએ હજરત કુતુબ બાવા અહેમદ શાહનો ઉર્ષ મુબારક શાન-ઓ-શૌકતથી ઉજવાશે

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્ષ મુબારક શાન-ઓ-શૌકતથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 ઓગસ્ટ અને મુસ્લિમ ચાંદ-3ના રોજ શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્ષ મુબારકની ઉજવણી કરાશે. જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે.ઉજવણીને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા. 21 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે શહેઝાદા-એ-મદની સરકાર તથા એહલેબેદ તથા તમામ આસીકે બાવા એહમદશાની હાજરીમાં સંદલ પોસી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 વાગે આમ ન્યાજ (મહાપ્રસાદ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ન્યાજમાં ભાઈઓ માટે બાવા અહેમદશા દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગ મેમણ સમાજના જમાખાના મેમણ શેરીની બાજુમાં વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે રાત્રે ઈશાની નમાજ બાદ કિબલા હસમતિ મૌલાના આદમ સાહેબનો વાઈજશરીફનો પણ જલસો રાખવામાં આવ્યો છે. વાહેજ પહેલા બાવા એહમદશા મસ્જીદના પેસઈમામ નજીરમીયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેશ કરશે. તો આ મુબારક મોકા ઉપર તશરીફ લાવવા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશીકે બાવા અહેમદશા ગ્રુપ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text