હળવદ નજીક કેનાલમાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળ્યા 

- text


સુરેન્દ્રનગરના નીમકનગરના પ્રેમી યુગલે હાથે દુપટ્ટો બાંધી સજોડે કેનાલમાં ઝંપલાવી દેતા રમણપુર નજીક નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યા 

હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતું પ્રેમીયુગલ બે દિવસ પહેલા ઘર છોડી ચાલ્યા ગયા બાદ આજે બન્ને પ્રેમી યુગલના મૃતદેહ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે જ મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે ધાંગધ્રા લઈ જવામાં આવી રહ્યા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા સમરતભાઈ કાળુભાઈ ડુમાણીયા અને સંગીતાબેન કાળુભાઈ ચાવડા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલાં બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ માંથી મળી આવી હતી.બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સાથે જ આ બનાવી જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ધાંગધ્રા લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવ્યું એનું જાણવા મળ્યું છે.

- text