મોરબીના વીરપરડા ગામની સીમમાંથી લાપતા યુવાનની લાશ મળી

- text


લાશ કહોવાયેલી હોય બનાવનું કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે ખસેડાઇ

મોરબી : મોરબીના ખારચિયા ગામેથી લાપતા થયેલા યુવાનની વીરપરડા ગામની સીમમાંથી લાશ મળી આવી હતી. જો કે, લાશ કહોવાયેલી હોય બનાવનું કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે ખસેડાઇ છે.

- text

મોરબી તાલુકા પોલીસના અર્જુનસિંહ ઝાલાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના વીરપરડા ગામની સીમમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતા મૃતક મોરબીના જુના ખારચિયા ગામે રહેતો ભરતભાઈ મોતીભાઈ રાઠોડ ઉ વ.32 હોવાની ઓળખ મળી હતી. પરિવારજનોને પોલીસે પૂછપરછ કરતા ગત તા.27/3ના રોજ ઘરેથી આ યુવાન હું જાવ છું કહીને નીકળ્યા બાદ લાપતા થઈ ગયો હતો. આથી તેમના પરિવારજનોએ ગુમસુંદ નોંધાવી હતી. હાલના તબક્કે બનાવનું કારણ બહાર આવ્યું નથી. પણ લાશ કહોવાયેલી હોવાથી બનાવનું કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ છે.

- text