મોરબી સબજેલમા ટીબી અને એચઆઇવી નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી સબજેલના નવા બંદીવાન માટે ટીબી અને એચઆઇવી નિદાન કેમ્પ યોજાયો હતો.જેલના બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તેમજ ટી.બી તથા એચ.આઇ.વી.ના લક્ષણો,થવાના કારણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી સબ જેલ ખાતે આજે તા.૧૭/૩/૨૦૨૩ના રોજ સુભિક્ષા પ્રોગ્રામ અંતર્ગત જેલમાં નવા આવેલ આરોપીઓ માટે ટી.બી.અને એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા અત્રેની જેલના બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તેમજ ટી.બી તથા એચ.આઇ.વી.ના લક્ષણો,થવાના કારણો અને નિવારણ માટેની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા.

- text

- text