ટંકારાના અમરમા આશ્રમ ખાતે 22 માર્ચથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

- text


ટંકારા : ટંકારાના અમરમાં આશ્રમ, શીતળા માતાની ધાર, વૃંદાવન ધામ ખાતે આગામી તારીખ 22 માર્ચ થી 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અમરમા આશ્રમ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે તારીખ 22 માર્ચના રોજ સવારે 9 કલાકે પોથીયાત્રા યોજાશે. દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 2-30 થી 5 કલાક સુધી પરબધામના આચાર્ય શાસ્ત્રી પ્રવીણચંદ્રજી જોષી (બંધાળાવાળા) વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે. કથા સાંભળવા આવતા ભાવિકો માટે દરરોજ ભોજન પ્રસાદની અને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ કથાનું રસપાન કરવા માટે મહંત ગરીબદાસબાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text