ધારાસભ્ય કાંતિલાલના જન્મદિને કાલે બુધવારે ગૌમાતાને સુખડી અને ઘાસચારો અર્પણ કરાશે

- text


 

મોરબી : મોરબી- માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે તા.8ના રોજ ગૌમાતાને સુખડી અને ઘાસચારો અર્પણ કરવામાં આવશે.

- text

કાંતિભાઈ અમૃતિયા જે મોરબી વિસ્તારનું જાહેર જીવનનું 40 વર્ષથી ધબકતું નામ છે. તેઓ 61 વર્ષ સંપન્ન કરી 62 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.વિધાનસભા સત્ર ચાલુ હોઈ હાલ તેઓ આજે ગાંધીનગર મુકામે હતા એટલે તા. 8ને બુધવારે રંગોના તહેવાર ધુળેટી પર્વના દિવસે તેમના જન્મદિવસ અન્વયે તેમના પ્રસંશક-સમર્થક વર્ગ તરફથી લીલાપર રોડ, પાંજરાપોળ મુકામે સવારે 11:00 કલાકે ગાયોને સુખડી તથા લીલા ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે.

 

- text