- text
મોરબી: રાજ્યની સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી તમામ કચેરીઓ તારીખ 11 માર્ચ અને 25 માર્ચે જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી 11 અને 25 માર્ચે મોરબી સબ રજિસ્ટ્રારની કચેરી પણ ચાલુ રહેશે.
રાજ્યભરની કુલ 52 સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી 11 અને 25 માર્ચે જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી સબ રજિસ્ટ્રારની કચેરીમાં પણ નિયમિત દિવસની જેમ જ 11 અને 25 માર્ચે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે તેમ નોંધણી સર નિરીક્ષકની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text
- text