નવી પીપળી ખાતે 18મીએ કેસરિયા હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


મોરબી: આગામી તારીખ 18 ફેબ્રુઆરી ને શનિવારના રોજ નવી પીપળી ગામે વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે કેસરિયા હનુમાનજીના નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

નવી પીપળી ગામે સમસ્ત વૃંદાવન પાર્ક સોસાયટી દ્વારા કેસરિયા હનુમાનજી મહારાજના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 18 ફેબ્રુઆરી ને મહાશિવરાત્રીના પાવન દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં સવારે શુભ ચોઘડીએ હવન યોજાશે અને રાત્રે 9 કલાકે સુંદરકાંડ પાઠ મંડળ (ખાનપુર) દ્વારા સુંદરકાંડ પાઠ યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text