હળવદ : દલવાડી સમાજનું ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને ખુલ્લું સમર્થન

- text


વરમોરાના પ્રચાર્થે વડાપ્રધાન મોદીની કાલે ધ્રાંગધ્રા રોડ, સુરેન્દ્રનગરમાં જંગી જાહેરસભા 

મોરબી: હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે સતવારા- દલવાડી સમાજના વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં ધ્રાંગધ્રા-હળવદ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને સમગ્ર સમાજે ખુલ્લું સમર્થન આપ્યું હતું. સમગ્ર સમારોહમાં સમસ્ત દલવાડી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી પ્રતિ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી જંગી બહુમતીથી ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જીતડવાની ખાત્રી આપી હતી. 21 નવેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વરમોરાના પ્રચાર્થે સુરેન્દ્રનગર આવી રહ્યા છે ત્યારે સમાજના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં પી.એમ મોદીની સભામાં પહોંચવા લોકોને આહવાન કર્યું હતું.

સતવારા- દલવાડી સમાજના સ્નેહમિલન સમારોહમાં વઢવાણ વિધાનસભા ઉમેદવાર જગદીશભાઈ મકવાણા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તથા વિઠ્ઠલબપા, તળશીભાઈ, હળવદ તાલુકાના દલવાડી સમાજ પ્રમુખ રવજીભાઈ પ્રભુભાઈ, દલવાડી સમાજ આગેવાન કિશોરભાઈ રામજીભાઈ, સાપકડા સરપંચ નટુભાઈ ગોરધનભાઈ, પૂર્વ મહામંત્રી હળવદ ગ્રામ્ય દેવશીભાઇ ચમક્યા,પૂર્વ તાલુકા પ્રમુખ વાલમજીભાઈ પરસોતમભાઈ, પૂર્વ મહામંત્રી હળવદ શહેર રમેશભાઈ (ભગત), સદભાવના સંકુલના ગિરિશભાઈ ધ્રાંગધ્રા નગર પાલિકા સભ્ય સુરેશભાઈ, મોરબી નગર પાલિકા પ્રમુખ કે.કે.પરમાર, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, જીતુભાઈ પરમાર, ચંદુભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ડાભી, વૈશાલીબેન મકવાણા, સુરેશભાઈ જાદવ, ટપુભાઈ નકુમ, ધ્રાંગધ્રા નગર પાલિકા સભ્ય જગદીશભાઈ સહિતના અગ્રણીઓએ વિશેષરૂપથી ઉપસ્થિત રહી ભાજપના વરમોરાને સમાજ તરફથી ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.

- text

- text