મોરબીમાં કાલે સોમવારે કોંગ્રેસના જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા 

- text


પરિવર્તન પદયાત્રા કરી લોક સંપર્ક કેળવી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે

મોરબી : મોરબી બેઠક ઉપર ચૂંટણી લડતા કોંગ્રેસના પ્રતિભાશાળી અને શિક્ષિત ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ પોતાનો પ્રચાર વેગવતું બનાવવા અને કોંગ્રેસની લોકહિતની વિચારસરણી વળગી રહેવા આવતીકાલે તેઓ પરિવર્તન પદયાત્રા કાઢશે અને પરિવર્તન પદયાત્રા કરી લોક સંપર્ક કેળવી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે.

- text

મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આથી તેમણે શહેર અને ગામે ગામ ભારે સમર્થન મળી રહ્યું છે. ત્યારે તેઓએ પોતાના પ્રચારને વેગવતો બનાવવા આવતીકાલે સોમવારે સવારે 9-30 વાગ્યે નહેરુ ગેઇટ ચોકથી પરિવર્તન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોનો કાફલો જોડાશે. જેમાં હું બનીશ પરિવર્તનનો ભાગીદાર અને જનસેવા એજ રાષ્ટ્સેવા એ મારો સંકલ્પ છે તેવા સૂત્ર સાથે જયંતીલાલ લોકો વચ્ચે જઈને લોકોનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરશે.

- text