ગુનો દાખલ કરાયો હોવાનું ગૃહમંત્રી હર્ષ સંધવીએ આપ્યું નિવેદન મોરબી : મોરબીની ઝૂલતા પુલ દુર્ધટનામાં જવાબદારો સામે માનવવધની કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે. મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટી પડતા અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે સરકારે સીટની રચના કરીને તેના 5 સભ્યોની નિયુક્તી પણ કરી દીધી છે. બીજી તરફ કસૂરવારોને નહિ છોડવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવીને ઉમેર્યું હતું કે કડકમાં કડક પગલાં લઈને મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવીશું. આ ઘટના પાછળ જે જવાબદાર છે તેની સામે માનવવધની IPC કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.