ખાણ ખનીજ વિભાગે પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ 17 લાખના દંડની વસુલાત કરી મોરબી : ખનીજ સંપત્તિનો બેસુમાર ખજાનો ધરાવતા મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા છ મહિનામાં સપાટો બોલાવી ગેરકાયદે ખનીજ ચોરી કરવા બદલ કુલ 81 કેસ કરી 2.35 કરોડની વસુલાત કરવાની સાથે પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ 17 લાખના દંડની વસુલાત કરી છે. મોરબી જિલ્લાના ખનીજ ચોરીનું દુષણ ડામવા ખાણ ખનીજ વિભાગ ભૂસ્તર શાસ્ત્રી સી.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરા, ગોપાલ ચંદારાણા, મિતેષ ગોજીયા, ગોપાલભાઈ દ્વારા એપ્રિલ 2022થી લઈ ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન બિન અધિકૃત ખનીજ વહનના 81 કેસ, સંગ્રહના 9 કેસ અને ખનનના 12 કિસ્સામાં કુલ રૂપિયા 2,35, 26,000 ( બે કરોડ પાંત્રીસ લાખ છવ્વીસ હજાર)નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગ દ્વારા આજ સમયગાળા દરમિયાન ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરી પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ 17,06, 347 રૂપિયાનો દંડ ફટકારી વસુલાત કરવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું છે. [caption id='attachment_31360' align='aligncenter' width='300'] ફાઈલ તસ્વીર[/caption]