મોરબી – માળીયાના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરો : જાનકીબેન કૈલા

- text


જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત

મોરબીઃ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિત રજુઆત કરીને જણાવ્યું છે કે, ચાલુ વર્ષે મોરબી જિલ્લાના મોરબી અને માળીયા (મી.) તાલુકામાં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હોવાથી બન્ને તાલુકાના ખેડૂતો માટે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરવામાં આવે.

- text

મોરબી અને માળીયા તાલુકામાં વધુ વરસાદના કારણે વાવણી નિષ્ફળ ગઇ છે. તેમજ સમયસર નિંદામણ ન થઈ શકવાના કારણે પાક ઉત્પાદન પર અસર પડી છે. જેથી મોરબી અને માળીયા (મી.) તાલુકામાં ખેડૂત હિતમાં ખાસ કિસ્સામાં રાહત પેકેજ જાહેર કરવા માટે જાનકીબેન કૈલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે.

- text