મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે બુધવારના રોજ ગુરૂ પૂર્ણીમાની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વ્યાસ પૂજન અને રતનેશ્વરી દેવીનો સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે તા.૧૩ને બુધવારના રોજ ગુરૂપૂર્ણીમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ કલાકે વ્યાસ પૂજન કરવામાં આવનાર છે. ત્યારબાદ ૧૦ કલાક સુધી રતનેશ્વરી દેવીનો સત્સંગ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ૧૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના નિયમ મુજબ કોરોનાની સાવચેતી માટે કાર્યક્રમમાં માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.