મોરબીમાં કાલે સુવર્ણપ્રાશનનો કેમ્પ યોજાશે

- text


6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો તથા ગર્ભવતી મહિલાઓને વિનામૂલ્યે ટીપા પીવડાવશે

મોરબી : મોરબીમાં આવતીકાલે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે બાળકો માટે અને ગર્ભવતી મહિલાઓ માટે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે.

મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 28મો સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ આવતીકાલે તા.4ને શનિવારના રોજ સવારે 10 થી 12:30 અને સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી સોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઇટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

કાલેરો,કોરોના કે કોઈપણ બીમારી સામે લડવા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે તથા ગર્ભવતી મહિલાઓ માટે વિનામૂલ્યે કશ્યપસંહિતામાં વર્ણવેલ 3 હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો 28મો કેમ્પનો રહેશે.

- text

આ આયુર્વેદિક ટીપા કોઈપણ રોગ સામે લડવા માટે જરૂર શક્તિ પુરી પાડે છે.આ ટીપથી બાળકોની ઇમ્યુનિટી વધે છે, પાચનતંત્ર સુધરે છે, યાદશક્તિમાં વધારો થાય છે, શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન વગેરેથી બચાવે છે.ગુસ્સો તથા ચીડચીડિયાપણું ઓછું થાય છે. બાળક એક્ટિવ થાય છે.આ ટીપા નુકસાનકારક નથી.

- text