સ્વ. મહેન્દ્રભાઈ કૈલાની 17મી પુણ્યતિથિએ પ્રમુખ ગ્રુપ દ્વારા કરાયું આયોજન મોરબી : મોરબીમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની 17 મી માસિક પુણ્યતિથિએ ઝૂંપડપટીના લોકોને ભરપેટ ભોજન કરવી ઉજવણી કરી હતી મોરબીના સામાં કાંઠા આવેલા પ્રમુખ ગ્રુપના 15 થી વધુ યુવાનો દ્વારા મહેન્દ્રભાઈની પુણ્યતિથીની સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરવામાં આવે છે. આજે મહેન્દ્રભાઈનો 17 મી માસિક પુણ્યતિથિએ મયુર પુલ નીચેની ઝૂંપડપટીના આશરે 800 જેટલા લોકોને ત્યાંજ ગરમા ગરમ પુરી, શાક, લાડવા, ગાંઠિયા બનાવી ભરપેટ જમાડી તેમની જઠરાગ્ની ઠારી હતી.