માળીયા : માળીયા તાલુકાના ઘાંટીલા ગામથી ધુળકોટ ગામ જવાના રસ્તે રહેતા રમીલાબેન વેલજીભાઈ ચાવડા, ઉં.40 નામના પરિણીતા પોતાના ઘેરથી ક્યાંક ચાલ્યા જતા માળીયા પોલીસમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે. રમીલાબેન શરીરે પાતળા બાંધાના છે અને આશરે 5 ફૂટ 5 ઈંચ જેટલી ઉચાઈના છે. ઘેરથી નીકળ્યા ત્યારે સફેદ કલરની સાડી તથા લાલ કલરનો દુપટ્ટો ઓઢેલ હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. જો કોઈને રમીલાબેનનો પતો મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.