મોરબી : આવતીકાલે મહાશિવરાત્રીના પાવન પર્વ પર મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના વિવિધ શિવ મંદિરના દર્શન પ્રવાસ યાત્રા કરશે. જેમાં સવારે 9.00 કલાકથી શરૂ થનારા મંદિર દર્શન યાત્રામાં પ્રાચીન શોભેશ્વર મંદિર, અગનેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નરસંગ ટેકરી, રામેશ્વર મંદિર (જી.આઇ.ડી.સી. ની સામે), સોમનાથ મંદિર, સત્યેશ્વર મંદિર તથા બપોર પછી જનકલ્યાણેશ્વર મંદિર, રામેશ્વર મંદિર (ગુજ.હા.બો. મોરબી-2) શંકર આશ્રમ, જડેશ્વર મંદિર, શનિમંદિર (અક્ષરધામપાર્ક) તથા ત્રિલોકધામ મંદિર ખાતે આરતી દર્શન કરી મહાશિવરાત્રિના દિવસની પ્રવાસયાત્રા સંપન્ન કરશે. આ શિવદર્શન પ્રવાસ યાત્રામાં જોડાવા ભાવિકોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.