ABVP મોરબી આયોજિત છાત્રા સંમેલનમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું

- text


રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ વિષય અંગે સત્ર યોજાયા

મોરબી : રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે ABVP મોરબી જિલ્લા દ્વારા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 યોજવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની ફરજ, કાર્યો, ભૂમિકા વગેરે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. અને પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABVP મોરબી જીલ્લા દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિતે “છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા”નું નવયુગ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, PSI નિરાલીબેન શુક્લા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડો. ભાવનાબેન જાની (MD સ્ત્રી રોગ નિષ્ણાત), પી. ડી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય, કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા હતા. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text