મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન 

- text


મોરબી : મોરબીમાં આગામી તા. 27 ડિસેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન લખધીરવાસ ચોક, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે કરવામાં આવેલ છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન નીખિલભાઈ જોશી કરાવશે. કથા તા. 27/12/2021ને સોમવારના રોજ પ્રારંભ થશે અને કથાની પુર્ણાહુતી તા. 02/01/2022ને રવિવારના રોજ થશે. કથાશ્રવણનો સમય સાંજે 3 થી 7 વાગ્યાનો રહેશે. આ કથાના મુખ્ય યજમાન તરીકે પદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા) રહેશે. શ્રીમદ્દ ભાગવત કથાનો લ્હાવો લેવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે વિમલભાઈ દવે મો. 98792 76569, 98242 43712 પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text