મોરબીમાં રૂ.૩ કરોડ ૧૫ લાખના ખર્ચે વધુ ચાર રોડના કામનું ખાતમુર્હુત

- text


મોરબી : મોરબી–માળીયા (મીં) વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો કરાવી રહ્યા છે. તે અંતર્ગત આજે મોરબી શહેરમાં વધુ ચાર સોસાયટીઓના રોડનું ખાતમુર્હુત કરાયું હતું.

મોરબી શહેરમાં રૂ.૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરાયું હતું. જેમાં હીરાસરી રોડ અને અવનિ ચોકડીથી ચોકિયા હનુમાનજી મંદિર સુધી, ત્રિકોણ નગર સોસાયટી, કેનાલ રોડ અને ન્યુ મારુતિ નગર, વાવડી રોડ તેમજ ધર્મ સૃષ્ટિ સોસાયટી, બાયપાસ રોડનો સમાવેશ થાય છે. આ તકે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડિયા, કાઉન્સિલરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કામ અંદાજે રૂ.૩ કરોડ ૧૫ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text