મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં કાલે રવિવારે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તા. ૨૮ના રક્તદાન કેમ્પ યોજાશે

“રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખિલાવવાની વર્ષાઋતુ” આ વાક્યને ચરિતાર્થ કરવા મોરબીની સામાકાંઠે આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તા.૨૮ ને રવિવારના રોજ સવારે ૯થી ૪ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને IOCN ગ્રુપના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા રતીભાઈ ભાલોડિયા મો.૯૯૭૮૯૨૦૧૮૭, મનુભાઈ જાકાસણીયા મો. ૯૭૩૭૨૧૩૦૦૦, અલ્પેશભાઈ પાંચોટીયા મો. ૮૧૨૮૩૨૨૪૨૨ સંપર્ક કરી શકાશે. મોરબીના વધુ ને વધુ લોકો આ કેમ્પમાં જોડાઈ તેવી અપીલ યાદીમાં કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text