પારકી પરણેતરને બિભત્સ ઈશારા કરનાર શ્રમિકે જીવ ખોયો

- text


લખધીરપુર રોડ ઉપર હત્યાની ઘટનામાં ગુન્હો દાખલ, આરોપી હાથવેંતમાં

મોરબી : મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં આજે છરીના ધા ઝીકીને શ્રમિકની હત્યા કરવા મામલે ગુન્હો નોંધાયો છે. જેમાં મૃતક શ્રમિકે આજ કારખાનામાં કામ કરતી એક મહિલાને બીભત્સ ઈશારા કરતા ખુન્નસે ભરાયેલા એ મહિલાના પતિએ શ્રમિકને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એક આરોપી સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે આ આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ હત્યાના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ રેડીયન્ટ સીરામીક કારખાનામાં રહીને કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિકની આજે તેની ઓરડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક શ્રમિક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (ઉ.વ.27) હોવાની ઓળખ મળી હતી અને પોલીસની વધુ તપાસમાં આ શ્રમિકની પારકી પરણેતરને બીભત્સ ઈશારા કરવામાં હત્યા થઈ હોવાનો ચોકવનારો ઘટસ્ફોટ થયો હતો.

- text

શ્રમિકની હત્યાના બનાવ અંગે તેજ કારખાના મજૂરી કામ કરતા તેના સંબંધી નીરજ જવાહર પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેજ સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની બારીવાલ કુશાલભાઈ ટુડુંની પત્નીને બે દિવસ પહેલા મૃતક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રાએ બીભત્સ ઈશારા કર્યા હતા. આથી આ મહિલાએ આ બાબતની તેના પતિ બારીવાલ કુશાલભાઈ ટુડું જણાવી હતી. જેથી ક્રોધિત થયેલા પતિ બારીવાલ કુશાલભાઈ ટુડુંએ જ્ઞાનેન્દ્ર મિશ્રાને શાકભાજીની છાલ ઉતારવાના ચોપરથી ગળાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. આમ શ્રમિકે પારકી પરણેતરને બીભત્સ ઈશારા કરવામાં જીવ ગુમાવ્યો હતો. આ હાલ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અને હત્યારો પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text