મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આ વર્ષે તા. 3 ઓક્ટોબરના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપવામાં આવશે. પ્રમુખ પ્રશાંતભાઈ સેતાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩.૦૯.૨૦૨૧ રાખવામાં આવેલ છે. તથા ફોર્મ મેળવવા માટે 1. મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદીરવાળી શેરી, મોરબી 2. દરીયાલાલ આલુ ભંડાર, નવા ડેલા રોડ, મોરબી અને 3. કેવીન ટોસ સેલ્સ એન્ડ સર્વિસ, નવા બસ સ્ટેન્ડની સામેનો સંપર્ક કરવાનો રહેશે. આ સન્માન સમારોહ તારીખ ૦૩.૧૦.૨૦૨૧ ને રવિવારના રોજ કોવિડની ગાઇડલાઇન મુજબ લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે. આથી કાર્યક્રમની રૂપરેખાની જાણ વિદ્યાર્થીઓને ફોન દ્વારા કરવામાં આવશે. તથા વધુ માહીતી માટે પ્રમુખ પ્રશાંતભાઇ સેતા તથા પ્રોજેકટ ચેરમેન ધર્મેશભાઇ ગંદાનો સંપર્ક કરવો. તેવું રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..