મોરબી એસએસવાય દ્વારા 27મીથી યોગ શિબિર યોજાશે

- text


મોરબી : મોરબીમાં સિદ્ધ સમાધિ યોગ (SSY) સંસ્થા દ્વારા તા. 27મીથી યોગ શિબિર યોજવામાં આવનાર છે.

- text

મોરબીમાં સિદ્ધ સમાધિ યોગ (SSY) સંસ્થા દ્વારા આગામી તા. 27ને રવિવારથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર વિષેની પ્રાથમિક માહિતી મેળવવા અને રજીસ્ટ્રેશન કરાવવા ઇન્ટ્રોડક્શનનો વર્ગ રાખેલ છે. જે તા. 27 એ સાંજે 7.00 કલાકે એ. કે. હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પમ્પ વાળી શેરી, સનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. વધુ માહિતી માટે નવનીત કુંડારિયા (98252 24898), રાજેશભાઈ જીવાણી (99252 56121) અથવા ધ્રુવ દેત્રોજા (99131 11202)નો સંપર્ક કરી શકાશે.

- text