ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાયું : ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વાવણી લાયક વરસાદ બાદ આજે વરાપ જેવું વાતાવરણ નીકળતા ખેડૂતોએ ભીમ અગિયારસના શુભ મુહૂર્તમાં વાવણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.

- text

મોરબી જિલ્લામાં ગત અઠવાડિયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા હાલમાં તમામ પાંચ તાલુકામાં સરેરાશ બેથી ત્રણ ઈંચ જેટલો મોસમનો વરસાદ પડી જતા ખેતરોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જેમાં આજે ભીમ અગિયારસના શુભ અવસરે જિલ્લામાં ખેડૂતોએ કુમારિકાના હસ્તે સાતી -ઓરણીને કુમકુમ તિલક સાથે મગફળી, કપાસ સહિતનું વાવેતર કરવાના શ્રીગણેશ કર્યા હતા.

- text