નર્મદા કેનાલમાં ડૂબી જતા રાજસ્થાનના યુવાનનું મોત

- text


હળવદના સુખપુર નજીકની ઘટના : સ્થાનિક તરવૈયાઓએ યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી

હળવદ : આજે બપોરના હળવદ તાલુકાના સુખપર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરનું ડૂબી જવાના કારણે મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના સુખપર ગામ પાસેના અમદાવાદ-માળીયા હાઈ-વે નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં રાજસ્થાનના બે ટ્રક ડ્રાઇવર ટ્રકને સાઈડમાં રાખી ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ભનારામ રાવતારામ ચૌધરી (ઉંમર વર્ષ 27, રહે. હોડું, જી.બાડમેર, રાજસ્થાન)ને તરતા ન આવડતું હોય જેથી તેઓ કેનાલ કાંઠે બેઠા બેઠા નાહી રહ્યા હતા. તે વેળાએ તેઓનો પગ લપસતા કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

- text

જેથી અન્ય ડ્રાઈવર દ્વારા બુમાબુમ કરાતા આજુબાજુના યુવાનો તેમજ સુખપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ લોદરીયા સહિતનાઓ કેનાલ કાંઠે દોડી આવી બનાવની જાણ પોલીસને કરી હતી અને યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.

જ્યાં કવાડિયા બીટ જમાદાર કિશોરભાઈ પારઘી દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી તેઓને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text