મોરબીના સીતારામ ગ્રુપ દ્વારા રામદેવપીર મંદીરમાં રૂ. 25 હજારનું દાન

- text


મોરબી : મોરબી તાલુકાના ત્રાજપર ગામમાં નિર્માણ પામી રહેલા રામદેવપીર મંદીરમાં સીતારામ ગ્રુપ દ્વારા રૂ. 25 હજારનું દાન આપવામાં આવ્યું છે.

મોરબીમાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા સાથી મિત્રો સાથે મળીને ત્રાજપર ગામમાં બની રહેલ રામદેવપીરનું મંદિરમાં રૂ. 25,000 રોકડનું અનુદાન કરવામાં આવેલ છે. આ તકે રામદેવપીર મંદિરના ભુવા વિક્રમભાઈ મેરુભાઈ વાઘેલા, બાપા સીતારામ ગ્રુપના આગેવાન તેમજ સામાજિક કાર્યકર શ્રવણભાઈ પાટડીયા તેમજ મનોજભાઈ હીરાભાઈ ભરવાડ, દીપકભાઈ ધીરુભાઈ વરાણીયા, પ્રવીણભાઈ લાભુભાઈ ટીદાણી, સંદીપભાઈ ચંદુભાઈ ટીદાણી, મનીષભાઈ છનાભાઈ ટીદાણી અને ગામના ભારતીય જનતા પાર્ટીના ત્રાજપર બૂથના પેજ સમિતિના સભ્ય તેમજ પૂર્વ જિલ્લા સહ કન્વીનર વિશ્વાસ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text