મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં આજે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ મનાવવામાં આવ્યો છે. જેમાં મહાકાલેશ્વર મંદિરના મહંત બલરાજગીરી બાપુ તથા ભારદ્વાજગીરી બલરાજગીરી ગોસ્વામી દ્વારા મહાકાલેશ્વર મહાદેવનો ગંગાજળથી અભિષેક કરી પાટોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે. જો કે કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈન અનુસાર ધામધૂમથી ઉજવણી કરવા ધાર્મિક કાર્યક્રમો રાખેલ નહતા.