- text
હળવદ : હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે સવારે 9થી1 દરમિયાન સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં વધુને વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.
કોરોના મહામારીની પરિસ્થિતિમાં 18 વર્ષથી ઉપરના નાગરિકોને વેકસીન આપવાનું ચાલુ થઇ જશે ત્યારે જે લોકોએ વેક્સિન લીધી છે તેઓ એક મહિના સુધી રક્તદાન કરી શકશે નહીં ત્યારે હળવદની સામાજિક સંસ્થાના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
આ રક્તદાન કેમ્પમાં હળવદ તાલુકાના દરેક યુવાનો સ્વૈચ્છિક રીતે પોતાના મિત્ર વર્તુળ સાથે આવી સ્વૈચ્છીક રક્તદાન કરી બીજા યુવાનોને પણ પ્રેરણા આપી તેમને પણ સાથે રક્તદાન કરવા લઇ આવે તેવી અપીલ કરવામાં આવી છે.
- text